Skip to main content

Posts

Narmada River

નર્મદા નદી     નર્મદા મધ્ય ભારતમાં આવેલી નદી છે. નર્મદા ઉત્તર ભારતના ગંગા જમુના ફળદ્રુપ પ્રદેશો તથા દક્ષિણ ભારતના દખ્ખણના ઉચ્ચપ્રદેશ વચ્ચેની ભૌગોલીક સીમા પણ છે. નર્મદા નદીની લંબાઈ ૧૨૮૯ કિલોમિટર છે. નર્મદા એ ભારતની ત્રણ મુખ્ય નદીઓમાંની એક છે જે પશ્ચિમ તરફ અરબી સમુદ્રમાં વહે છે. જ્યારે અન્ય બે મોટી નદીઓ તાપિ અને મહિ છે. ભારતીય ઉપખંડની તે પાંચમી સૌથી મોટી નદી છે. નર્મદા નદીનું મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલ છે. સાતપુરા પર્વતમાળાના ઉદ્રુમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા નદી જબલપુર નજીક આરસપહાણો કોતરી વિધ્યાચલ પર્વતમાળા અને સાતપુડા પર્વતમાળાની ખીણમા થી વહે છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા થોડીક લંબાઇ માટે આ નદી મહારાષ્ટ્ર રાજ્યના ભાગમાંથી પણ વહે છે. અંતે તે ભરૂચ નજીક ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે.ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે આવેલું છેલ્લું મોટું શહેર છે. નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા  ઝરણાઓ માંથી વહે છે. જ્યારે વિધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે .નર્મદામાં મળી જતી...

Stunning Design Of Bird Feathers

પક્ષીઓનાં પીંછાંની અદભૂત રચના Feather મોરપીછ સુંદરતા અને મુદુતાનું પ્રતીક છે. પક્ષીઓના પીછા જોવા અને તેનો સુંવાળો સ્પર્શ સૌને ગમે. પીંછા Feather)એ પક્ષી (bird) નો અદ્ભૂત અને ઉપયોગી અંગ છે. માણસ અને અન્ય પ્રાણીઓમાં નખ અને વાળ હોય છે તે જ રીતે પક્ષીઓને પીંછા હોય છે. પરંતુ પક્ષીઓના પીંછાની રચના અદ્ભૂત હોય છે. પક્ષીઓને રંગરૂપ આપવા ઉપરાંત પીંછાના ઘણા ઉપયોગ છે. colorful feather of peacock પીંછા કેરાટીનના બનેલાં હોય છે. પક્ષીઓને ઉડવા માટે અને ઠંડી ગરમી તેમજ અલ્ટ્રવાયોલેટ કિરણોથી રક્ષણ આપવા પીંછા જરૂરી છે. પક્ષીઓના શરીર પર વિવિધ પ્રકારના પીંછા હોય છે . પીંછાની રચનામાં  એક મજબૂત ધરીની બંને સુંવાળા રેસાની કતાર હોય છે. આ રેસા મુલાયમ હોવા છતાંય ધરીની બંને તરફ સમાંતર આકાર જળવાયેલી રહે છે. મુખ્ય ધરીનું મૂળ પક્ષીના શરીર સાથે જોડાયેલું હોય છે. પાંખો અને પૂછડીના છેડા મજબૂત હોય છે. પરંતુ છેડે નરમ અને સુંવાળા પીંછા હોય છે. આંખની અંદરની સપાટી પર નાના પીંછાની સમાંતર કતાર હોય છે. પક્ષીના શરીરની સપાટી પર પ્રથમ ઝીણા પીંછાનું આવરણ હોય છે. તે તેને ઠંડી ગરમીથી રક્ષણ આપે છે....

Citrus: Rich in Vitamin C

મોસંબી:વિટામીન સિ થી ભરપૂર Citrus મોસંબી હાલનો સમય એવો ચાલી રહ્યો છે કે નાનામોટા દરેક સભ્યોએ પોતાની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવી પડે એમ છે. જો શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હશે તો તમારું શરીર દરેક પ્રકારના રોગ સામે શક્તિમાન બનીને લડશે. બાળકોએ તો ખાસ પોતાના શરીરને શક્તિમાન બનાવીને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવી જ જોઇએ.  રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માટે તાજાં લીલાં શાકભાજી, ફળ, પૌષ્ટિક આહારની સાથે સાથે ખાસ વિટામિન સી(C) યુક્ત ફળ અને ખોરાક વધારે લેવાં જોઇએ. આ દાંત, હાડકા અને ત્વચા માટે ઉપયોગી છે. આ  વિટામિન સી(C)    પાંદડાવાળા શાકભાજી અને ખાસ કરીને આમળા ,લિંબુ, મોસંબી ની અંદર થી વધારે પ્રમાણમાં મળી આવે છે. વિટામિન સી(C)   તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં સૌથી મોટો ભાગ ભજવે છે ,અને શરીરને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળી રહે તે માટે મોસંબીના રસનું સેવન રોજ કરવું. લિંબુ જાતિ નુ ફળ મોસંબી આખા ભારત મા જાણીતી છે. મોસંબી એ વિટામિન સી(C) નો સૌથી મોટો સ્ત્રોત છે. તે ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ તો મજબૂત બને ...