Skip to main content

Citrus: Rich in Vitamin C


મોસંબી:વિટામીન સિ થી ભરપૂર


Citrus મોસંબી

હાલનો સમય એવો ચાલી રહ્યો છે કે નાનામોટા દરેક સભ્યોએ પોતાની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવી પડે એમ છે. જો શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હશે તો તમારું શરીર દરેક પ્રકારના રોગ સામે શક્તિમાન બનીને લડશે. બાળકોએ તો ખાસ પોતાના શરીરને શક્તિમાન બનાવીને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવી જ જોઇએ. 

રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માટે તાજાં લીલાં શાકભાજી, ફળ, પૌષ્ટિક આહારની સાથે સાથે ખાસ વિટામિન સી(C) યુક્ત ફળ અને ખોરાક વધારે લેવાં જોઇએ. આ દાંત, હાડકા અને ત્વચા માટે ઉપયોગી છે.
આ વિટામિન સી(C)  પાંદડાવાળા શાકભાજી અને ખાસ કરીને આમળા ,લિંબુ, મોસંબી ની અંદર થી વધારે પ્રમાણમાં મળી આવે છે.વિટામિન સી(C)  તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં સૌથી મોટો ભાગ ભજવે છે ,અને શરીરને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળી રહે તે માટે મોસંબીના રસનું સેવન રોજ કરવું. લિંબુ જાતિ નુ ફળ મોસંબી આખા ભારત મા જાણીતી છે.






મોસંબી એ વિટામિન સી(C) નો સૌથી મોટો સ્ત્રોત છે. તે ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ તો મજબૂત બને જ છે, સાથેસાથે તે ખાવાથી શરદી અને કફની તકલીફથી પણ રાહત આપે છે.  બાળકો જો રોજ મોસંબીનો રસ પીવે તો આ વાઇરલ ઇન્ફેક્શનની તકલીફમાંથી રાહત અને છુટકારો મળી શકે છે. જે વ્યક્તિને પેટમાં બળતું હોય તેમણે પણ રોજ એક ગ્લાસ મોસંબીનું જ્યૂસ પીવું જોઇએ. 

જે બાળકોને પેશાબની તકલીફ હોય, પેશાબ ઓછો થતો હોય તેમને પણ ડોક્ટર મોસંબીનું જ્યૂસ પીવાની સલાહ આપતાં હોય છે. તેમાં વિટામિન સીની સાથેસાથે મિનરલ્સ પણ સારા પ્રમાણમાં હોવાથી શરીરને પૂરતું પ્રવાહી મળી રહે છે અને પેશાબ ઓછો થવાની સમસ્યા કે પેશાબમાં બળતરાની સમસ્યામાંથી છુટકારો મળે છે.


શક્તિવર્ધક અને આરોગ્યવર્ધક હોવાને કારણે આ ફળ દર્દીઓ માટે એક ગુણકારી ફળ છે. તેનાથી ન માત્ર શારીરિક નબળાઈ દૂર થાય છે, પણ કબજિયાતથી પણ રાહત મળે છે. વિટામિન એ(A) અને વિટામિન સી(C)  નો સ્ત્રોત મોસંબી બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે કેમ કે તેના સેવનથી નબળાઈ દૂર થાય છે.



મોસંબી ના ફાયદા


1.  વિટામીન-સી નો સ્ત્રોત મોસંબી થી દાંત અને પેઢાની સુરક્ષા મળે છે.

2. મોસંબીની નું જ્યુસ પીવાથી હૃદય રોગીઓ માટે હાર્ટએટેકની શક્યતા ઓછી થઇ જાય છે, કેમ કે  તેનો રસ રક્તવાહિનીમાં કોલેેેેસ્ટ્રોલના અવરોધ દૂર કરે છે.

3. ગર્ભવસ્ત્થા મા વમન  કે ઉલટી કારણે સ્ત્રીઓ વધુ પૌષ્ટિક આહાર ન લઈ શકતી. આવી સ્થિતિમાં તેને રોજ મોસંબીનો જ્યૂસ પીવું જોઈએ. મોસંબીનો જ્યૂસ અનાર કે સંતરાનો  રસ ભેળવીને પીવાથી ઉલ્ટી ની તકલીફ દૂર થાય છે.

4. શરીરમાં જ્યારે પાણી ની ઉણપ હોય તો તમે વધુમાં વધુ સમય મોસમી નું  સેવન કરો.

5. કોઈ પણ રોગથી  વધુ સમય સુધી પીડિત રહેવાથી કે શારીરીક નબળાઈ વધુ હોય તો  મોસંબીનો રસ પીવાથી નબળાઈ દૂર થાય છે. મોસંબી ના રસ આંતરડામાં એકઠા થયેલ  ઝેરીલા અંશ  પણ કાઢે છે.

6. મોસંબીનું રસનું સેવન કરવાથી શારીરિક નબળાઈને કારણે ઉત્પન્ન થયેલી થાક દૂર થાય છે. 

7.ટાઇફોઇડ માં  જ્યારે દર્દીને કોઇ આહાર ન આપવામાં આવતો , તે સમયે મોસંબી નો રસ દેવો ગુણકારી છે .તેનાંથી શારીરિક ક્ષિણાતાં  દૂર થાય છે.

8.યુવાવસ્થામાં ખીલ વધારવાથી છોકરા-છોકરીને ખૂબ જ પરેશાન રહે છે ,તેઓ રોજ મોસંબીનો રસ પીવાથી ખીલ દૂર થાય છે.

9. મોસંબીનું જ્યૂસ પીવાથી હોઠ ઉપરની કાળાશ દૂર કરી શકાય છે. તેનાથી ત્વચામાં નિખાર આવે છે.

10. રોજ 200ગ્રામ મોસમ રસ પીવાથી કબજિયાત દૂર થાય છે, અને ખિલ પણ જલદી દૂર થાય છે.

11.કબજીયાત ને કારણે માથાં માં દુખાવો અને જીવ ગભરાવો જેવી માં તમે રોજ 200 ગ્રામ મોસંબી નો જ્યૂસ પીવો ,તેનાથી ઘણો ફાયદો થશે.

12.એનિમિયા ના રોગ માં મોસંબી નો રસ રોજ બે વખત પીવાથી લોહી માં વધારો થાય છે. 

Comments